સુરત: બિલ્ડરને 84 ફ્લેટ ધારકોને 15 %વ્યાજ સાથે રકમ પછી આપવાનો કોર્ટનો હુકમ| Surat: Court orders builder to pay 84 flat holders with 15% interest

Spread the love

સુરત: બિલ્ડરને 84 ફ્લેટ ધારકોને 15 %વ્યાજ સાથે રકમ પછી આપવાનો કોર્ટનો હુકમ

સુરત: બિલ્ડરને 84 ફ્લેટ ધારકોને 15 %વ્યાજ સાથે રકમ પછી આપવાનો કોર્ટનો હુકમ

સુરત: બિલ્ડરને 84 ફ્લેટ ધારકોને 15 %વ્યાજ સાથે રકમ પછી આપવાનો કોર્ટનો હુકમ ફ્લેટ ધારકોને સમયસર પઝેશન ન મળ્યું,બિલ્ડરે હવે 15% વ્યાજ સાથે રકમ પરત કરવી જોઈએ: કોર્ટ જીઆવ-ગભેણી-સોનારીમાં ઘર બનાવવાનું નામ 84 લોકો પાસેથી બિલ્ડર રુપિયા લીધા હતા

સુરતમાં રૂદ્રાક્ષ અને રૂદ્રવન કોર્પોરેશન દ્વારા 11 વર્ષ પહેલા જિયાવ-ગાભેણી-સોનારી ખાતે રહેણાંક પ્રોજેક્ટ બનાવવાના નામે 84 લોકો પાસેથી પૈસા પડાવી લીધા હતા. પરંતુ ફ્લેટનો પઝેશન આપતી વખતે તેઓએ વિલંબ શરૂ કર્યો હતો. આ પછી પીડિત નારાજ થઈને ગ્રાહક કોર્ટમાં પહોંચ્યા.

હવે આ કેસમાં કોર્ટે 84 લોકોની તરફેણમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે બિલ્ડરને તમામ 84 લોકોને તેમની રકમ 15 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રીતે બિલ્ડરે પીડિતોને વ્યાજ સહિત 2 કરોડ 66 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રૂદ્રાક્ષ અને રૂદ્રવન કોર્પોરેશનના બિલ્ડર શૈલેષ બડલાવાલા અને તેના ભાગીદારે 2011માં જિયાવ-ગભેણી-સોનારીમાં એપાર્ટમેન્ટનું બાંધકામ શરૂ કર્યું હતું.

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ઘર બનાવવું દરેકનું સપનું હોય છે. પરંતુ બિલ્ડરે સમયસર ફ્લેટનો પઝેશન આપ્યો ન હતો જે ગંભીર ભૂલ છે. તેથી, બિલ્ડરે ફ્લેટ બુક કરાવનારાઓને 15 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવી જોઈએ. આ સાથે, માનસિક અને શારીરિક સમસ્યા માટે, તેને 5000 રૂપિયા વધુ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

લોકોએ આ પ્રોજેક્ટમાં પૈસા લગાવવાનું શરૂ કર્યું. આ જોઈને 84 લોકોએ આ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવ્યા અને એડવાન્સ રકમ પણ ભરી દીધી. આ દરમિયાન બિલ્ડરો વચ્ચે મતભેદો સર્જાયા હતા. જે બાદ પ્રોજેક્ટનું કામ અટકી ગયું હતું. જ્યારે લોકોએ ફ્લેટનો કબજો માંગ્યો ત્યારે બિલ્ડરો જવાબ આપી શક્યા ન હતા. જેનાથી પરેશાન થઈને ફ્લેટ ધારકોએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

વધુ સમાચાર છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *