મૃતક ચેતનભાઇ પરમારની ફાઇલ તસવીર.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા ચેતનભાઇ બેચરભાઇ પરમારની બહેન સંગીતાબેને જણાવ્યું હતું કે, ગત રક્ષાબંધનને તેમણે પોતાના ભાઇને સ્નેહના તાંતણે રાખડી બાંધી હતી. પરંતુ આજે તેઓ કોને રાખડી બાંધે ? રડતા રડતા સંગીતાબેને જણાવ્યું હતું કે તેમનો એકનો એક ભાઈ પરિવારનો આધાર હતો. પરિવાર પાસે પોતાના ઘરનું ઘર પણ ન હતું ત્યારે ભાઈ પરિવારને આર્થિક ટેકો આપતો હતો. માતા-પિતાનો આધારસ્તંભ હતો પરંતુ ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં તેમના પાડોશમાં રહેતી એક છોકરી તેમના ફૈબાના ત્રણ દીકરા અને સંગીતાબેનનો સગાભાઈનું મોત નીપજ્યું હતું. આજે પણ સંગીતાબેનની આ આંખોમાં આંસુનો દરિયો છલકાય છે અને એક જ પ્રશ્ન પૂછે છે કે મારા ભાઈને ક્યારે ન્યાય મળશે? આજે રક્ષાબંધનના દિવસે ભાઈની ખુબ યાદ આવી રહી છે હું કોને રાખડી બાંધુ ? મને કોઈ જણાવો તેવી વ્યથા બહેને ઠાલવી હતી
તો કાકા જગદીશભાઈ કલાભાઈ પરમારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ આ દુર્ઘટના સમયે ઘટના સ્થળે હાજર હતા. ઘણા લોકો ત્યાં હાજર હતા અને જેમાં તેમણે પોતાનો ભત્રીજો ગુમાવી દીધો છે. મૃતકોના સ્વજનોને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
મોરબી17 મિનિટ પેહલા
ભાઇની તસવીર સાથે સંગીતાબેન.
મોરબીમાં રવિવારની એ સાંજે હળવું અંધારું પથરાઈ રહ્યું હતું ત્યારે માત્ર દસ સેકન્ડની એક દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયાં. સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યા હતા ત્યારે અનેક જિંદગી આથમી ગઈ. થોડી ક્ષણો પહેલાં જ જ્યાં આનંદ-ઉમંગનો કિલ્લોલ ગૂંજતો હતો એ મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મરણચીસોથી ગાજી ઊઠ્યો. કાળની લીલા કેવી છે? હજુ થોડી ક્ષણો પહેલાં ધબકતા શ્વાસ ઘડી બે ઘડીમાં નિશ્વાસ બની ગયા. ચોતરફ મોતનો ઓથાર છવાઈ ગયો. બે કટકા થઈને તૂટી પડેલા પુલના કેબલ પકડીને લટકતા લોકો મચ્છુના ગોઝારા જળમાં બેબાકળી આંખે પોતાના પરિવારજનને શોધતા રહ્યા. અને આજે પણ મૃતકોના પરિવારજનો ન્યાયની આશા પોતાની આંખોમાં સેવી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર બહેન પોતાના ભાઈ ચેતનભાઇને યાદ કરી રહી છે. પરંતુ હવે યાદોના સહારે જ સ્વજનો એ જીવવાનું છે કારણ કે તેમના સ્નેહીજન તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.
મૃતક ચેતનભાઇ પરમારની ફાઇલ તસવીર.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા ચેતનભાઇ બેચરભાઇ પરમારની બહેન સંગીતાબેને જણાવ્યું હતું કે, ગત રક્ષાબંધનને તેમણે પોતાના ભાઇને સ્નેહના તાંતણે રાખડી બાંધી હતી. પરંતુ આજે તેઓ કોને રાખડી બાંધે ? રડતા રડતા સંગીતાબેને જણાવ્યું હતું કે તેમનો એકનો એક ભાઈ પરિવારનો આધાર હતો. પરિવાર પાસે પોતાના ઘરનું ઘર પણ ન હતું ત્યારે ભાઈ પરિવારને આર્થિક ટેકો આપતો હતો. માતા-પિતાનો આધારસ્તંભ હતો પરંતુ ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં તેમના પાડોશમાં રહેતી એક છોકરી તેમના ફૈબાના ત્રણ દીકરા અને સંગીતાબેનનો સગાભાઈનું મોત નીપજ્યું હતું. આજે પણ સંગીતાબેનની આ આંખોમાં આંસુનો દરિયો છલકાય છે અને એક જ પ્રશ્ન પૂછે છે કે મારા ભાઈને ક્યારે ન્યાય મળશે? આજે રક્ષાબંધનના દિવસે ભાઈની ખુબ યાદ આવી રહી છે હું કોને રાખડી બાંધુ ? મને કોઈ જણાવો તેવી વ્યથા બહેને ઠાલવી હતી
તો કાકા જગદીશભાઈ કલાભાઈ પરમારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ આ દુર્ઘટના સમયે ઘટના સ્થળે હાજર હતા. ઘણા લોકો ત્યાં હાજર હતા અને જેમાં તેમણે પોતાનો ભત્રીજો ગુમાવી દીધો છે. મૃતકોના સ્વજનોને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…