અમદાવાદ42 મિનિટ પહેલા
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર પાણીની ટાંકી પાસે આવેલા શ્રીજી બંગલો નજીક અદાણી ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. જેના કારણે આગ લાગી હતી.
ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું
આગ લાગતાની સાથે જ મોટો ભડકો થયો તો રોડ ઉપર અવર-જવર કરતા લોકો ઉભા રહી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. અદાણી ગેસના કર્મચારીઓને પણ જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓ પહોંચ્યા હતા અને ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. જેના કારણે આગ કાબુમાં આવી ગઈ હતી.
ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી
સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઇસનપુર વોર્ડના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે આજે રાત્રે કોઈ કારણોસર ગેસમાં લીકેજ થતા આગ લાગી છે હાલમાં આગ કાબુમાં આવી ગઈ છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
PAN Card Application Process: A Complete Guide A Permanent Account Number (PAN) Card is an…
Meet Samuel Edyme, Nickname - HIM-buktu. A web3 content writer, journalist, and aspiring trader, Edyme…
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…